Question 1 of 22
Hints left: 3
Q1
OBCs માટે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નિયમનો અપવાદ (exception) ……... બંધારણીય સુધારા અધિનિયમ 2005 દ્વારા ઉમેરવામાં આવ્યો. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q2
નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1)) I. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. II. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ દ્વારા લદ્દાખ વિધાનસભા વિનાનું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું.
Q3
ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)
Q4
ભારતમાં નાગરિકના અધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
Q5
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. બંધારણની આઠમી અનુસૂચિમાં દેશની વિવિધ ભાષાઓનો સમાવેશ થાય છે. 2. મૂળ બંધારણમાં કુલ આઠ અનુસૂચિઓ હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q6
નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. સેવાકાળની બાંયધરી (Security of tenure) 2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions) 3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India) સાચો ઉત્તર કોડ પસંદ કરો.
Q7
કિશોરો માટેના કેર હોમ્સ પછીની નીચેની કઈ બંધારણીય જોગવાઈને અનુરૂપ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q8
નાણાકીય ખરડો કોને ગણવો તે કોણ નક્કી કરે છે ?
Q9
ભારતના બંધારણની કલમ 22 ધરપકડ અથવા અટકાયત કરાયેલ વ્યક્તિ માટે નીચેના પૈકી કયો અધિકાર આપે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. ધરપકડના કારણો વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો અધિકાર. 2. કાનૂની વ્યવસાયી દ્વારા સલાહ લેવાનો અને તેની મારફત પોતાનો બચાવ કરવાનો અધિકાર. 3. જો મેજિસ્ટ્રેટ વધુ અટકાયતને અધિકૃત ન કરે, તો 24 કલાક પછી મુક્ત થવાનો અધિકાર.
Q10
બંધારણના સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. બંધારણીય સુધારાનો ખરડો માત્ર લોકસભામાં દાખલ થઈ શકે છે. 2. આવો ખરડો કેન્દ્રના મંત્રી દ્વારા અથવા ખાનગી સંસદ સભ્ય દ્વારા દાખલ કરી શકાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q11
...................“ભારત છોડો' આંદોલનનો પ્રારંભ થવાનું નિમિત્ત બન્યોઃ (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
Q12
ભારતના બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q13
PIL (પી.આઈ.એલ.) શું છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q14
........ ને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Q15
જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં કેટલા વર્ષ સુધી વકીલાતનો અનુભવ હોવો જરૂરી છે ?
Q16
ભારતીય બંધારણના અનુચ્છેદ 360 હેઠળ નાણાકીય કટોકટી અંગે કયું સાચું નથી? (GPSC : Advt no: 22/202223 : Dt.26/02/2023 (Paper-1))
Q17
નીચે વિષયવસ્તુ અને કલમની જોડી આપેલ છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ? (GPSC : Advt no : 06, 10/202425 : Dt. 12/11 /202425)
Q18
રાજ્યસભાના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી છે ?
Q19
વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q20
વડી અદાલતના ન્યાયાધીશ બનવા માટેના ઉમેદવારે નીચલી અદાલતોમાં કેટલા વર્ષ સુધી ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ ?
Q21
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ ક્યા દિવસે મંજૂરી આપી? ( GPSC પ્રિલિમ - 2014)
Q22
રાષ્ટ્રીય કટોકટીમાં રાષ્ટ્રપતિ લોકસભાની મુદત કેટલા સમય સુધી લંબાવી શકે છે ?