Question 1 of 25
Hints left: 3
Q1
મહત્તમ કેટલા સમયગાળા માટે ભારતના ઉપરાષ્ટ્રપતિ ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળી શકે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q2
અનુસૂચિત આદિજાતિઓ માટે અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગ’’ની રચના કરવાની જોગવાઈ ભારતના બંધારણનાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? ( GPSC કૃષિ અધિકારી Class – 2 – 15/01/2017)
Q3
ભારતમાં પંચવર્ષીય યોજનાઓ કોણ ઘડે છે?
Q4
નીચેની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવેલી છે? (GPSC : Advt no.68,52,51/202324 : Dt.07/07/2024) “ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે.”
Q5
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. વડાપ્રધાન જેની ભલામણ કરે તેને જ રાષ્ટ્રપતિ પ્રધાન તરીકે નિયુક્ત કરે છે. 2. પ્રધાનોનાં ખાતાં બદલવા માટે રાષ્ટ્રપતિને વડાપ્રધાનની ભલામણની આવશ્યકતા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q6
નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યને રાજ્યસભામાં 10 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે? (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024)
Q7
નીચેનામાંથી ક્યા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી? ( સચિવાલય સિનિયર ક્લાર્ક - 13/08/2017)
Q8
જે સામાજિક પરિસ્થિતિઓ વગર કોઈપણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો ઉત્તમ વિકાસ કરી શકે નહિ તેને સામાન્ય રીતે શું કહે છે ?
Q9
ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે? ( PSI GK - 4–3/5-3/2017)
Q10
ડૉ.બાબાસાહેબ આંબડકરે ક્યા હકને બંધારણનો આત્મા કહ્યો છે ?
Q11
વિધાન પરિષદનો ઉમેદવાર કેટલા વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ ?
Q12
નીચેના પૈકી કોણ સંસદનાં બન્ને ગૃહોમાં બોલી શકે છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)
Q13
રાજયની કારોબારી સત્તા (Executive Power) કોનામાં નિહિત થાય છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q14
ભારતના મુખ્ય ચૂંટણી અધિકારીનો હોદ્દો ......... (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q15
બંધારણના ક્યા અનુચ્છેદ પ્રમાણે ચૌદ વર્ષની નીચેની વયના બાળકને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહી? ( બિન સચિવાલય ક્લાર્ક - 2016)
Q16
ભારતના બંધારણના ક્યા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q17
વિશ્વમાં સૌપ્રથમ આકાશવાણીનું કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ?
Q18
નિવારક અટકાયત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. નિવારક અટકાયત ધારા હેઠળ ગુનો કર્યા સિવાય પણ કોઈ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે. 2. નિવારક અટકાયત ધારા હેઠળના હુકમને કોઈ રદ કરી શકતું નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q19
ગ્રામસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. “ગ્રામસભા” પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી. 2. તે કાયમી સંસ્થા છે. 3. ગ્રામસભાના નિર્ણયને રદ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q20
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ, સંસદને અન્ય કોઈ દેશ કે દેશો સાથે કોઈ પણ સંધિ, સમજૂતી કે સંમેલન અથવા કોઈપણ આંતરરાષ્ટ્રીય પરિષદ, સંગઠન કે અન્ય સંસ્થામાં કરવામાં આવેલા કોઈ પણ નિર્ણયના અમલ માટે કોઈ પણ કાયદો બનાવવાની સત્તા છે. (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q21
બંધારણીય સુધારા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. બંધારણીય સુધારાનો ખરડો સંસદના કોઈપણ ગૃહમાં દાખલ કરી શકાય છે. 2. કોઈપણ બંધારણીય સુધારા માટે રાજ્યોની વિધાનસભાઓની સહમતિની આવશ્યકતા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q22
રાજ્યસભાના સભ્યોની વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે ?
Q23
અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો. ( PSI GK - 1/1/2017)
Q24
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ કેટલા વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહી શકે છે ?
Q25
સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ ક્યારે અસ્તિત્વમાં આવી હતી ?